The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અહલ્યાહિંદુ ધર્મશાસ્ત્રો (પુરાણો અને ઇતિહાસ)માં વર્ણવેલું એક અગત્યનું મહિલાચરિત્ર છે.
અહલ્યા અથવા અહિલ્યા (સંસ્કૃત: अहल्या) મહર્ષિ ગૌતમની પત્ની હતી. ઘણાં હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તેણીને ઇન્દ્રએ લલચાવી હતી, જેના કારણે તેણીના પતિએ શ્રાપ આપ્યો હતો અને વિષ્ણુના સાતમા અવતારમાં રામે આ શ્રાપથી મુક્ત કરાવી હતી. બ્રહ્મા દ્વારા સૌથી સુંદર સ્ત્રી તરીકે નિર્મિત અહલ્યાએ ઉંમરમાં ઘણા મોટા ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યા હતા. પ્રારંભિક સંપૂર્ણ કથામાં જ્યારે ઇન્દ્ર તેના પતિના વેશમાં આવે છે ત્યારે અહલ્યા તેના વેશપલટાને જુએ છે પરંતુ તેમ છતાં તેને સ્વીકારે છે. હિંદુ ધર્મમાં અહલ્યાને પંચકન્યા ("પાંચ કુમારિકાઓ")માંની પ્રથમ તરીકે બિરદાવવામાં આવે છે, જે સ્ત્રી પવિત્રતાના આદર્શરૂપ છે.